અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા
3K Posts • 699K views
c.j. jadav
721 views 1 days ago
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર...          વળી એક સમયને વિષે ત્રીજા પહોરના સમયે ઘનશ્યામ મહારાજ ચંદનબાઇ પ્રત્યે બોલ્યા જે, હે માસી ! મને તો આજે ભૂખ લાગી છે માટે ખાવાનું આપો. ત્યારે કહ્યું જે, ભાઈ ! હમણાં તમોને આ કમોદના પૌઆ અને દહીં આપું તે જમો અને થોડા સમયમાં રસોઇ તૈયાર થશે તે જમજો. ત્યારે બોલ્યા જે, ના અમોને તો અત્યારે જ શાક અને રોટલીઓ બનાવી આપો. ત્યારે ચંદનબાઇ રસોડામાં જઇને ચૂલામાં દેવતા સળગાવીને પરવળનું શાક વઘારી, લોટ બાંધીને રોટલી વણવા સારૂં પથ્થરની આડણી વેલણ ટાંકામાં મૂકેલાં હતાં તે લઈને નીચે મૂકવા ગયાં. ત્યારે તુરત જ હરિઇચ્છા થકી આડણી હાથમાંથી પડી ગઈ અને તેના ચાર કકડા થઇ ગયા. તે જોઈને પોતે ઉદાસ થઈ ગયાં, તેમને ઉદાસ થયેલાં જોઇને બોલ્યા જે, હે માસી ! તમો ચિંતા શા માટે કરો છો? જુઓને! આડણી તો સાજી છે, કાંઈ ભાંગી નથી, એમ કહી પોતાના હાથમાં લઈને માસીને આપી. તે જોઈને મહા આશ્ચર્ય પામતાં સતાં રોટલી શાક કરીને અતિ હેતે સહિત જમવા બેસાડયા. તે વખતે માણેકધર તથા ઇચ્છારામજી એ બન્ને જણ આંગણામાં રમતા હતા તે ઘનશ્યામ મહારાજને જમતા જોઈને ત્યાં આવીને બોલ્યા જે, હે માતા! અમોને પણ ભૂખ લાગી છે, માટે અમોને પણ રોટલી ને શાક આપો. ત્યારે બોલ્યા જે શાક ને રોટલી તો ઘનશ્યામભાઈને આપી. હવે તો આ કમોદના પૌઆ તથા દહીં છે તે તમો જમો. ત્યારે બોલ્યા જે, એતો અમારે નથી જમવા. એમ કહીને ત્રણે જણ રીસ કરીને પાછા ગયા. ત્યારે ઘનશ્યામ મહારાજ જમતાં જમતાં બોલ્યા જે, ભાઈ માણેકધર ! તમો પાછા આવો, આપણે ચારે જણ ભેગા જમીએ. ત્યારે તેઓ બોલ્યા જે, હવે જમી રહ્યા પછી ? ત્યારે બોલ્યા જે, અરે ભાઇ ! હું તો હમણાં હાલ જ બેઠો છું. અને હજી તો આ શાક ટાઢુયે થયું નથી. તમો ન માનો તો આ માસીને પૂછી જુઓ. તેવું સાંભળીને ત્રણે જણ પાછા આવીને ભેગા બેસીને જમવા લાગ્યા. ત્યારે ચંદનમાસી બોલ્યાં, હે ઘનશ્યામ ! આ બે રોટલી છે તેમાં તમો શું જમશો ? અને તેઓ શું જમશે ? ત્યારે બસ્તી બોલ્યો જે, હે માસી ! આતો ઘણી રોટલી છે. ત્યારે કહે જે ભલે, હોય તો જમો. એમ કહેતાં ચારેજણ જમી ચળુ કરીને ઉઠ્યા તો પણ થાળીમાં બે ને બે રોટલીઓ આખી દેખીને મહા આશ્ચર્ય પામતાં હતાં. આ વાર્તા પોતાની બહેન ભક્તિમાતા તથા વસંતાબાઈ, સુવાસિનીબાઈ વગેરેને કહેતાં હતાં. તે સાંભળીને સર્વે આશ્ચર્ય પામતાં હતાં.                            🍃🍃🌼🍃🍃 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #✋ જય સ્વામીનારાયણ ##જય સ્વામિનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર
14 likes
11 shares
c.j. jadav
1K views 7 days ago
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર...            એક સમયે ઘનશ્યામ મહારાજ પોતાના સખાઓ સાથે આંગણામાં મલ્લકુસ્તીની રમત રમવા લાગ્યા. ત્યારે ધર્મભક્તિ, રામપ્રતાપભાઈ વિગેરે પુરવાસી સર્વે જન આવીને ત્યાં ચારેબાજુ બેસીને રમત જોતાં હતાં. તે રમતાં રમતાં બપોર થઇ ગયા તો પણ આળસ્યા નહીં. કેમકે અંતર્યામી પોતે સર્વે વાતને જાણે છે. તે સમયમાં પોતાના પૂર્વ વૈરને સંભારતા એવા કાલીદત્તના સખા ગૌરીદત્ત, તથા શંભુદત્ત, ઇન્દ્રદત્ત તથા દિનદત્ત એ ચાર અસુરો ઘનશ્યામ મહારાજને મારવાની ઇચ્છાથી પોતાના સખાના જેવાં રૂપધારણ કરીને મલ્લકુસ્તીના નિમિત્તે આવતા હતા. તેઓને જોઈને ઘનશ્યામ મહારાજ બોલ્યા, કેમ છો ? તમારે ચારે જણને કુસ્તી કરવી હોય તો આવો અમારા સખા તૈયાર છે. ત્યારે બોલ્યા જે, ના અમારે તો તમારી સાથે કુસ્તી કરવાનો વિચાર છે. એવું સાંભળીને વેણીરામ આદિક સર્વે સખાઓને દૂર રાખીને રામપ્રતાપજીને કહ્યું જે, હે મોટાભાઈ ! આ બન્ને સાથે તમો મલ્લયુદ્ધ કરો અને આ બન્ને સાથે હું મલ્લયુદ્ધ કરું. એમ કહીને બે બે મલ્લોને લઇને બે ભાઇ કુસ્તી કરવા લાગ્યા. તે છાતી સાથે છાતી ભીડાવી તથા હાથ સાથે હાથ ભીડવા તથા મુઠીઓ વાળીને એક બીજાને મારવી તથા સામસામા ગડદા પાટવાં તેના કડાકાના પડછંદા દશે દિશાઓમાં ગાજતા હતા અને એક બીજાનો બાહુ પકડી પૃથ્વી ઉપર પટકવા, તેના શબ્દના કડાકા સત્યલોક પર્યંતમાં સાંભળીને બ્રહ્માદિક તેત્રીસ કરોડ દેવ આકાશમાર્ગેથી આવીને ઘનશ્યામ મહારાજ સહિત રામપ્રતાપ-ભાઇને અસુરો સાથે મલ્લયુદ્ધની લડાઈ જોઈને અંતરમાં ત્રાસ પામવા લાગ્યા. તે વખતે ધર્મભક્તિને પોતાના પુત્ર જેવા જણાતા હતા. પુરવાસીજનોને પોતાના સુહૃદ જેવા જણાતા હતા. અન્યને સખા જેવા જણાતા હતા અને આવેલા અસુરોને કાળ જેવા મહાભયંકર દેખાતા હતા. પછી તો છૂટવાનો ઘણો પ્રયત્ન કરે પરંતુ તેને છોડતા નથી. એવી રીતે ઘણીક વાર સુધી રમાડીને પોતાના ભાઈને ઇશારો કર્યો જે ભાઇ, હવે ઘણો સમય રમાયા, પાર મૂકો. ને ઉપર આકાશમાં દેવો પણ હાર પામી ગયા છે. તેને ધીરજ આપવા સારૂં પોતાના જમણા હાથ વડે બન્ને અસુરોને ઉડાડતા હતા. તે આકાશમાં પવનના વેગથી બન્ને જુદા પડી ગયા. તેમાં એક અસુર તો શ્રવણ તળાવડીના વનમાં જઇને પડ્યો અને બીજો તો મનોરમા નદીના વનમાં જઈને પડયો. ત્યાર પછી રામપ્રતાપભાઈએ પોતાના હાથ વડે એકદમ મહાજોરથી બન્ને અસુરોને પકડીને ચારે તરફ વીંઝોળીને ઉછાળ્યા તે પણ આકાશમાર્ગે વાયુના ગોળા ભેગા ઘણીકવાર ભમીને પડતા હતા. તેમાં એક તો વિશ્વામિત્રી નદીના સામે પાર વનમાં પડતો હતો. અને બીજો તો સરયૂ નદીના કિનારે બીલવા બજારના વનમાં પડતો હતો. એવી રીતે એ ચાર અસુરો ભગવાનને મારવા માટે આવેલા. પરંતુ સામા પોતાના પ્રાણનો ત્યાગ કરતા સતા મૃત્યુને પામતા હતા. ત્યારે આકાશમાં બ્રહ્માદિક દેવો પ્રસન્ન થઇ ચંદન પુષ્પવડે ભગવાનને વધાવતા સતા દુંદુભિ બજાવતા હતા. ત્યાર પછી કેટલોક સમય વીત્યા પછી ધર્મદેવે પુછ્યું જે, હે રામપ્રતાપ! એ કોણ હતા ? ત્યારે તેણે કહ્યું જે, હે દાદા ! તે તો પૂર્વના ચાર અસુરો ઘનશ્યામભાઇને મારવા સારૂં આવ્યા હતા. પરંતુ પોતે જ મરણ પામ્યા. એવું સાંભળીને ધર્મભક્તિ પોતાના પુત્ર ઘનશ્યામ મહારાજના મસ્તક ઉપર હાથ ફેરવીને હેત સહિત રસોઈ કરીને બન્ને ભાઈઓને જમાડતાં હતાં.                              🍃🍃🌼🍃🍃 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર ##જય સ્વામિનારાયણ
13 likes
30 shares
c.j. jadav
856 views 22 days ago
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર....         વળી એક દિવસને વિષે ઘનશ્યામ મહારાજ પોતાના સખાઓ સહિત છપૈયાપુરથી દક્ષિણાદિ કોરે મીનસાગર તળાવ છે, ત્યાં જઇને તેના જળમાં બહુ પ્રકારની જળક્રિડાઓ કરીને સ્નાન કરતા હતા. પછી તેના કિનારે મોટો મહુડો હતો, તેના ઉપર ચડીને મર્કટ જાતિના શબ્દ કરી સામસામા કિલકિલાટીઓ કરાવી. અને હૂકાહૂક કરવું, અને ગોલાંટી ખાવી અને તે વૃક્ષ ઉપરથી જળમાં ધૂબકા ખાવા, એવી રીતે બહુ પ્રકારની રમત કરતા હતા. તે ભગવાનની બાળપણાની રમત જોવા માટે દેવો પોતપોતાના વિમાન ઉપર બેસીને આકાશમાર્ગે આવીને અંતરિક્ષમાં રહીને જોતા હતા અને એક બીજાને એમ કહેતા હતા જે, અહો અતિ આશ્ચર્ય ! આ છપૈયાપુરની પૃથ્વીને પણ ધન્ય છે. અને આ પુરના રહેવાસી માણસોને તથા ગાયો પશુ પક્ષી તથા વૃક્ષ વેલીઓને પણ ધન્ય છે જે, આ અક્ષરાધિપતિ પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન જ્યાં જન્મ ધરીને વિચરે છે અને અનંત પ્રકારનાં બાળચરિત્રો કરે છે. તે ભગવાનની સાથે મનુષ્ય દેહ ધરીને રમવા, જમવા, ખેલવા, એવા યોગને પામ્યા જે બાળકો તેનાં પણ પૂર્વજન્મનાં શાં સુકૃત હશે ! જે પુણ્યે હરિના આવા યોગને પામ્યાં છે. એમ કહીને દેવતાઓ જય જય શબ્દ કરીને ચંદન પુષ્પની વૃષ્ટિ કરીને વારંવાર દુંદુભિ વગાડતા હતા. પછી વળી મહુડાના વૃક્ષ નીચે ઘનશ્યામ મહારાજને ઠેસ વાગવાથી પડી ગયા, તેથી ઓષ્ઠ ઉપર થોડુંક વાગ્યું એટલે થોડુંક રૂધિર નીકળ્યું. તેને જોઇને વેણીરામ આદિક સર્વે સખાઓ ઘણા ઉદાસ થઇ ગયા. તેમાંથી સુખનંદન એકદમ ઉતાવળથી ઘેર આવી ધર્મભક્તિને કહેતો હતો જે, તમારા ઘનશ્યામ પડી ગયા અને ઓષ્ઠ ઉપર વાગ્યું છે, અને રૂધિર નીકળ્યું છે, એમ કહ્યું. તે સાંભળીને ધર્મભક્તિને પોતાના પુત્રને વિષે ઘણો સ્નેહ હોવાથી મૂર્છા આવી ગઇ અને પૃથ્વી ઉપર પડી ગયાં અને શરીરની પણ સ્મૃતિ રહી નહિ. ત્યારે રામપ્રતાપભાઈ માતાપિતાને આશ્વાસન આપીને કહેતા હતા, જે. હે માતાપિતા ! તમો કંઈ ચિંતા કરશો નહિ. આગળ પણ ઘનશ્યામ મહારાજને ઘણાં વિઘ્ન આવ્યાં હતાં તો પણ કોઇ કાંઇ થયું નથી. હું હમણાં જઇને તેડી આવું છું. એમ કહીને ભાઈ ત્યાં જઈને જુએ છે તો ઓષ્ઠ ઉપર વાગેલું અને રૂધિર પણ નીકળેલું હતું. તેને જોઈને મોટાભાઇ બોલ્યા જે, પોતાના શરીરનું કંઈ ભાન રાખતા નથી. ત્યારે દિલગીર થઇને બોલ્યા જે, ખબર તો ઘણી રાખીએ છીએ. પણ વાગ્યું માટે દેહ ક્ષણભંગુર છે તે વાગે પણ ખરૂં અને હાથપગ ભાંગી પણ જાય, એમ બોલ્યા. પછી રામપ્રતાપભાઈ પોતાના ખભા ઉપર બેસાડીને તેડી લાવ્યા. ત્યારે ધર્મભક્તિ પોતાના પુત્રને નિરખીને મસ્તક ઉપર હાથ ફેરવીને શાંતિ પમાડતાં સતાં ભોજન બનાવીને જમાડતાં હતાં.                        🍃🍃🌼🍃🍃🍃 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #✋ જય સ્વામીનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 ##જય સ્વામિનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર
7 likes
8 shares