નર્મદા મહાઆરતીનો અદભુત ડ્રોન નજારો: કેવડિયા નજીક વારાસણીના ગંગાઘાટ જેવો જ નર્મદાઘાટ બનાવાયો, ઘાટ રંગબેરંગી રોશનીથી ઝગમગી ઊઠ્યો
સ્ટેચ્યૂ ઓફ યુનિટી વહીવટી તંત્ર અને શૂલપાણેશ્વર ટ્રસ્ટ દ્વારા નર્મદા નદીના કાંઠે નર્મદાઘાટ બનાવવામાં આવ્યો છે. આ ઘાટ પર દરરોજ સાંજે મા નર્મદાની વિશેષ મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે. ત્યારે કેવડિયા ખાતે આવતા પ્રવાસીઓ માટે નર્મદા ઘાટને રંગબેરંગી લાઇટ્સથી સજાવવામાં આવ્યો છે, જેથી નર્મદાઘાટ અદભુત રોશનીથી ઝગમગી ઊઠ્યો છે. મહાઆરતીની સાથોસાથ નર્મદાના કાંઠે ભવ્ય લેસર વોટર શોનું પણ દરરોજ આયોજન કરવામાં આવશે... | Amazing drone view of Narmada Aarti